ઓમાનમાં એર ઈન્ડિયાની ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી

બેંગલુરુ બાદ હવે ઓમાનમાં એર ઈન્ડિયાની ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી હોવાની માહિતી મળી હતી. બેંગલુરુમાં પ્લેનની ટેલ સ્ટ્રાઈક રન-વે સાથે અથડાયો હતો, ત્યારે હવે ઓમાનના મસ્કટ એરપોર્ટ પર એરલાઈન્સનું બોઈંગ રન-વે પરથી ટેકઓફ કરતી વખતે લાઈટ સાથે અથડાતા ભારે અફરાતરફરી મચી છે.

મળતી માહિતી મુજબ, ઓમાનની રાજધાની મસ્કટ એરપોર્ટ પર એરલાઈન્સનું બોઈંગ રન-વે પર ટેક ઓફ વખતે ખોટી દિશામાં જતું રહ્યું હતું, જેના કારણે પ્લેન રન-વે પર લાઈટ સાથે અથડાતા પ્લેનના નોજ ગિયરને નુકસાન થવાની સાથે કૉકપિટમાં જોરદાર અવાજ સંભળાયો છે. આ વિમાન ૧૫ મેએ મસ્કટથી કન્નૂર આવી રહ્યું હતું. રાહતની વાત એ છે કે, ઘટનામાં કોઈપણ મોટી જાનહાની થઈ નથી.
મુસાફરોને બીજા દિવસે અન્ય ફ્લાઈટમાં કન્નૂર મોકલાયા
મસ્કટથી કન્નૂર જઈ રહેલી આ ફ્લાઈટે રન-વે પર ટેકઓફની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, ત્યારે અચાનક ફ્લાઈટ થોડી આગળ વધતા જ ખોટી દિશા તરફ જતા લાઈટ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં રન-વે પર અનેક લાઈટો તૂટી ગઈ છે. આ ઉપરાંત પ્લેનના નોજ ગિયરને નુકસાન થયું છે. જોકે પાયલોટે તાત્કાલીક સમસૂચકતા દાખવતા તાત્કાલીક ટેકઓફ અટકાવી દઈ મોટી દુર્ઘટના ટાળી દીધી છે.
એર ઈન્ડિયાની આ ફ્લાઈટે રન-વે નંબર ટેક્સીવે પરથી એન્ટ્રી કરી હતી. ઘટનામાં વિમાનનું હાઈડ્રોલિક લીકેજ અને ટાયર પંચર થયું હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ, બહારની કોઈ વસ્તુ એન્જીનમાં આવી જતા બંને એન્જિનને નુકસાન થયું. ત્યારે પ્રવાસીઓ અને ક્રૂ સભ્યોને વિમાનમાંથી ઉતારી પરત ટર્મિનલ પર લઈ જવાયા હતા. એરલાઈન્સે તુરંત કાર્યવાહી કરીને તમામ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપી હતી. તમામ મુસાફરોને બીજા દિવસે અન્ય ફ્લાઈટમાં કન્નૂર મોકલવામાં આવ્યા હતા, જોકે તેમાં ૧૩ કલાકનો વિલંબ થઈ ગયો હતો.
ત્યારબાદ દુકાનદારે પોલીસ બોલાવી લીધી હતી. ધંડાપાનીએ દાવો કર્યો કે, જાપાનમાં ક્રાઈમ રેટ ખૂબ જ ઓછો છે અને ત્યાં ટ્રાફિક શિસ્ત પણ ખૂબ મજબૂત છે, તેથી સામાન્ય રીતે પોલીસ બહુ ઓછી જોવા મળે છે.
તેમણે જણાવ્યું કે ટૂર મેનેજર તે મહિલાને લઈને પોલીસ સ્ટેશન ગયા હતા. પોસ્ટ પ્રમાણે મહિલાએ પોલીસ સ્ટેશનમાં પણ પૈસા આપવાનો પ્રયાસ કર્યો હતો. ધંડાપાનીએ લખ્યું કે, ‘પોલીસ સ્ટેશનમાં પણ તે મહિલાએ પૈસા આપવાની ઓફર કરી હતી. જાપાની પોલીસ આનાથી બિલકુલ પ્રભાવિત ન થઈ. તેમણે સમજાવ્યું કે ચોરીની સજા કેટલી ગંભીર હોઈ શકે છે અને એમ પણ કહ્યું કે તમારે જેલમાં જવું પડી શકે છે.‘
ધંડાપાનીનો દાવો છે કે, આખરે પોલીસે મહિલાને કડક ચેતવણી આપીને છોડી દીધી. તેમણે લખ્યું કે, ‘પરંતુ તે ભારતીય હતી અને તેઓ ભારતનું ખૂબ સન્માન કરે છે, તેથી તેને કડક ચેતવણી આપીને છોડી દીધી.‘
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ રહી છે. ઘણા લોકોએ આ કથિત ઘટના પર શરમ વ્યક્ત કરી, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે વિદેશમાં કોઈ એક પ્રવાસીનું આવું વર્તન આખા દેશની છબીને ખરડી શકે છે .