Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર

ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવતા મમતા બેનર્જી સામે FIR

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનરજીની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. કોલકાતામાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશના હાઈ-પ્રોફાઈલ હત્યાકાંડમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગૃહ મંત્રી અમિત શાહનું નામ ઢસેડવા બદલ તેમની સામે FIR નોંધવામાં આવી છે. આ ફરિયાદ સિલીગુડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક વકીલ દ્વારા નોંધાવવામાં આવી છે.

માહિતી મુજબ આ વિવાદ ૨ જૂન ૨૦૨૬ ના રોજ કોલકાતાના ધર્મતલામાં TMC ના એક ધરણા પ્રદર્શન દરમિયાન શરૂ થયો હતો. પોતાના ભાષણમાં મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે, મને બાંગ્લાદેશમાં થયેલી એક મોટી હત્યા પાછળના સંપૂર્ણ ષડયંત્ર અને તેમાં સામેલ લોકોના નામની માહિતી છે, પરંતુ હું તેનો ખુલાસો નહીં કરું કારણ કે તેનાથી પાડોશી દેશમાં ઉથલ-પાથલ મચી શકે છે. તેમનો ઈશારો સ્પષ્ટપણે બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન બિન હાદીની હત્યા તરફ હતો.

સિલીગુડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મમતા બેનરજીએ ધરણા સ્થળ પરથી કહ્યું હતું કે, STF એ બાંગ્લાદેશથી એક મોટા હત્યારાની ધરપકડ કરી હતી. આ બાબતે બાંગ્લાદેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. હું બીજા દેશોની વાત નથી કરી રહી, મારો પોઇન્ટ એ છે કે તે લોકો મેઘાલયના રસ્તે બંગાળમાં આવ્યા. અહીં આવ્યા બાદ અમારી STF એ તેમને પકડ્યા. ગૃહ મંત્રી પોતે કહી રહ્યા છે. મેં આટલા દિવસ સુધી કંઈ નહોતું કહ્યું, પરંતુ આજે અત્યાચાર તેની ચરમસીમા વટાવી ગયો છે, એટલે બોલી રહી છું. મારું હૃદય સત્યનો ભંડાર છે.

મમતા બેનરજીના આ સનસનીખેજ દાવા બાદ સિલીગુડીના વકીલ રિંકી ચેટર્જી સિંહે તેમની સામે સિલીગુડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો નોંધાવ્યો છે. વકીલનું કહેવું છે કે, મમતા બેનરજીએ પોતાના નિવેદનમાં દેશના ગૃહ મંત્રાલયનું નામ પણ ઢસેડ્યું છે. વકીલનો આરોપ છે કે ખુલ્લા મંચ પરથી દેશના વહીવટીતંત્ર સાથે જોડાયેલી આવી સંવેદનશીલ અને ગુપ્ત માહિતી જાહેર કરવાથી દેશની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ જ વકીલે ગત અઠવાડિયે પણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અન્ય એક મામલે ફરિયાદ નોંધાવી હતી.

બાંગ્લાદેશના ઇન્કલાબ મંચના સંયોજક અને ભારત વિરોધી શરીફ ઉસ્માન બિન હાદીને ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઢાકામાં ગોળી મારવામાં આવી હતી. ૧૮ ડિસેમ્બરના રોજ સિંગાપોરની એક હોસ્પિટલમાં તેનું નિધન થઈ ગયું, ત્યારબાદ બાંગ્લાદેશમાં ભારે ભારત-વિરોધી પ્રદર્શનો થયા હતા. હત્યાના મુખ્ય શંકાસ્પદ આરોપીઓ- ફૈઝલ કરીમ મસૂદ અને આલમગીર હુસૈન કથિત રીતે મેઘાલય સરહદેથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. પશ્ચિમ બંગાળ STF એ માર્ચ ૨૦૨૬માં આ લોકોની ધરપકડ કરી હતી અને ત્યારથી તેઓ ભારતીય એજન્સીઓની કસ્ટડીમાં છે.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

૯૭ વર્ષની વયે પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપનું નિધન

Next

કૅપ્ટન અમરિદંરનો કોંગ્રેસ પક્ષ સાથે સંપર્ક હોવાનો દાવો

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • About Us
  • Contact Us
  • About Us
  • Contact Us

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper