Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર

ગોવિંદા જે ઇવેન્ટમાં ગયા ત્યાં થઇ બબાલ !!!

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા એક કાર્યક્રમ બાદ અચાનક જ વિવાદમાં ફસાઈ ગયા હોવાના સમાચાર છે. વાત કરીએ તો મુંબઈમાં આયોજિત એક ઇવેન્ટ બાદ ગોવિંદાની સિક્યોરિટી ટીમ અને ફોટોગ્રાફર્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે.

કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ હોબાળા બાદ સુપરસ્ટારે માફી માંગી હતી. જોકે, ગોવિંદાના મેનેજર શશિ સિંહાએ આ તમામ અહેવાલોને નકારી કાઢીને અસલી હકીકત જાહેર કરી છે.

મોટા કાર્યક્રમોમાં આવી બાબત સામાન્ય , મેનેજરે કહ્યું

અભિનેતાના મેનેજર શશિ સિંહાએ વાયરલ થઈ રહેલા અહેવાલો પર સત્તાવાર નિવેદન આપતા તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. એક રિપોર્ટ અનુસાર સિંહાએ પ્રશ્ન કર્યો હતો કે, “આ સમગ્ર ઘટનામાં ગોવિંદાની કોઈ ભૂલ જ નહોતી, તો પછી તેઓ માફી શું કામ માંગે?”

તેમણે ઘટનાની વિગત આપતા આગળ ઉમેર્યું કે, “ગોવિંદા એક બ્યુટી પેજન્ટ ઇવેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપવા ગયા હતા. ઇવેન્ટ પૂરી થયા બાદ ફોટોગ્રાફર્સ એક રિસ્ટ્રિક્ટેડ એરિયામાં ઘૂસીને તેમનો ઇન્ટરવ્યુ લેવાનો આગ્રહ કરી રહ્યા હતા. સિક્યોરિટી સ્ટાફ માત્ર પોતાની ફરજ બજાવી રહ્યો હતો અને ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતો હતો.”

ગોવિંદાની સિક્યોરિટી ટીમનો બચાવ કરતા મેનેજરે જણાવ્યું હતું કે, આવા ભીડભાડવાળા જાહેર કાર્યક્રમોમાં હાજર દરેક વ્યક્તિને ઓળખવી સિક્યોરિટી ગાર્ડ્સ માટે શક્ય નથી હોતી. તેમણે કહ્યું, “આવા પ્રોગ્રામ્સમાં ભારે ભીડ હોય છે, તેથી સુરક્ષાકર્મીઓને હંમેશા એ ખબર નથી હોતી કે કઈ વ્યક્તિ કોણ છે. તેમણે પ્રતિબંધિત વિસ્તારમાં આવતા એક વ્યક્તિને રોક્યો હતો, જેના કારણે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ ગઈ હતી. આવા મોટા કાર્યક્રમોમાં આવી બાબતો સામાન્ય છે.”

તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ઘણી વખત સુરક્ષાના કારણોસર તેમને પોતાને પણ સિક્યોરિટી ગાર્ડ્સ રોકતા હોય છે. જ્યારે સુરક્ષાકર્મીઓ માત્ર પોતાનું કામ કરી રહ્યા હતા, ત્યારે આ બાબતને ખોટો રંગ આપીને હંગામો મચાવવાનો કોઈ અર્થ નથી.

ગોવિંદા તાજેતરમાં જ મુંબઈમાં આયોજિત ‘મિસીસ ઈન્ડિયા ક્વીન – પેહચાન મેરી સીઝન ૪‘ના ગ્રાન્ડ ફિનાલેમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે ગોવિંદા હોલની બહાર નીકળ્યો, ત્યારે ફોટોગ્રાફર્સ તેની તસવીરો ખેંચવા અને બાઈટ લેવા માટે તેમની આસપાસ જમા થઈ ગયા હતા.

આ અફરાતફરી અને ભારે ભીડ વચ્ચે, ગોવિંદાને સુરક્ષિત બહાર કાઢવા માટે એક સિક્યોરિટી ગાર્ડે કથિત રીતે એક ફોટોગ્રાફરને ધક્કો મારી દીધો હતો. આનાથી નારાજ થઈને તે ફોટોગ્રાફરે તુરંત પ્રતિક્રિયા આપતા આક્રોશ સાથે કહ્યું, “તમે આ શું કરી રહ્યા છો? મને હાથ કેમ લગાવી રહ્યા છો?” જોકે, આ સમગ્ર હંગામા દરમિયાન પણ ગોવિંદા અત્યંત શાંત રહ્યો હતો અને તેણે પરિસ્થિતિ સંભાળતા તે ફોટોગ્રાફરને પોતાનો ‘દોસ્ત‘ કહીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

‘મારા ને મારા પરિવાર પર આવા અત્યાચાર થશે તે અપેક્ષા નહતી’

Next

પંજાબી સિંગરનો મૃતદેહ લુધિયાણાની નહેરમાંથી મળી આવ્યો

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • About Us
  • Contact Us
  • About Us
  • Contact Us

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper