અંબાલાલ પટેલે ફરીથી ગુજરાતને ધ્રુજાવ્યું, સાંલેબાધાર વરસાદની આગાહીથી ખેડૂતો ઘેરી ચિંતામાં!

ગુજરાતમાં શિયાળા બાદ હવે ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ પડી રહ્યો. 7 એપ્રિલના રોજ હળવો વરસાદ પડ્યો હતો. ત્યારે અંબાલાલ પટેલે ફરીથી નવી આગાહી કરી છે. આગાહી મુજબ, હાલમાં ઉત્તર ભારતના ભાગોમાંથી વાદળોનો એક મોટો સમૂહ ગુજરાત તરફ આવી રહ્યો છે. આની અસર રૂપે બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે. જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોની ચિંતામાં મોટો વધારો થયો છે.
કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે અને પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનનું જોર વધુ જોવા મળશે. રાજ્યમાં એકસાથે 3 અલગ-અલગ સિસ્ટમ સક્રિય થવાને કારણે ગાજવીજ, વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ કમોસમી વરસાદને લીધે ખાસ કરીને ડુંગળી અને અન્ય તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે, તેથી ખેડૂતોને સાવચેત રહેવા જણાવાયું છે.

આગાહીમાં કહેવાયું છે કે 7-8 એપ્રિલ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ખાસ કરીને ડુંગળી પકવતા ખેડૂતોને અંબાલાલ પટેલ દ્વારા સાવચેત રહેવા ચેતવણી આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 10 mm જેટલો અને અમદાવાદ-ગાંધીનગરના કોઈક વિસ્તારોમાં અડધા ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. કેટલીક જગ્યાએ કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.